મંગળવાર, 8 માર્ચ, 2011

પશ્વિમોત્તાનાસન

પશ્વિમોત્તાનાસન

 

આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ અને શક્તિશાળી બને છે.

વિધી- સમતળ જમીન પર આસન પાથરીને બંને પગોને સામેની તરફ સીધા કરીને બેસવું. ધીમે-ધીમે શરીરનો ઉપરનો હિસ્સો આગળની તરફ નમાવતા નમાવતા બંને પગના અંગૂઠા પકડવાનો પ્રયાસ કરવો. ઘૂંટણને વાળવા નહીં અને મસ્તક ઘૂંટણે અડે તે રીતે નમાવવું. આ સ્થિતિમાં થોડીવાર રોકાવું. જ્યારે સારી રીતે અભ્યાસ થઇ જાય તો બંને હાથની આંગળીઓ એકબીજા સાથે ભરાવી બંને પગના તળીયાને પકડવાનો પ્રયત્ન કરવો. આ આસનને ત્રણ આવૃત્તિમાં કરવું. જેને કમરમાં પીડા થતી હોય તેમણે આ આસન ન કરવું.

લાભ- આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ અને શક્તિશાળી બને છે. તેની સાથે-સાથે તન અને મનના અનેક પ્રકારના રોગો પણ આ આસન કરવાથી દૂર થાય છે. આત્મવિશ્વાસમાં વધારો થાય છે. શરીર સ્વસ્થ, પ્રસન્ન અને કાંતિમય બને છે. ભય અને નિરાશા દૂર થાય છે. પ્રાણની ગતિ એટલી સૂક્ષ્મ બની જાય છે કે વ્યક્તિ એક મિનિટમાં પાંચ શ્વાસ લઇને જ પોતાનું કામ ચલાવી શકે છે. જેનાથી વ્યક્તિ દીર્ધાયુ બને છે. આ આસન કરવાથી ચર્મ રોગ દૂર થાય છે અને કમર પાતળી તેમજ સુડોળ બને છે. આ આસન કરવાથી અનિદ્રા દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger