મંગળવાર, 8 માર્ચ, 2011

પીઠનું દર્દ દૂર કરશે-પર્વતાસન

પીઠનું દર્દ દૂર કરશે-પર્વતાસન

 

જો તમે પીઠના દુખાવાથી પરેશાન છો તો તમારા માટે પર્વતાસન ખૂબ લાભદાયી છે. આ આસનથી ખભાનો અને પીઠનો દુખાવો દૂર થાય છે અને તેનાથી હાડકાની મજબૂતી પણ વધે છે.પર્વતાસનથી હાડકા વધુ મજબુત બને છે. કરોડરજ્જુની મજબુતાઈમાં વધારો થાય છે.

પવર્તાસનનો પ્રયોગસપાટ જમીન પર કપડું કે ચાદર પાથરીને સુઈ જવું. કમરને સીધી રાખવી. બંને હાથની આંગળીઓ એકબીજા સાથે ઈંટરલોકની જેમ જોડી દેવી.હથેળીને વાળીને મસ્તિષ્ક ઉપર લાવવી. પર્વતાસન કરવા માટે બંને હાથને ઉપરની તરફ ખેંચો. બંને બાજુઓ સીધી કરો. હાથ અને બંને બાજુઓના હાડકામાં ખેંચાણનો અનુભવ કરો. આ સ્થિતિમાં એક કે બે મિનિટ સુધી રહેવું. ઉંડો શ્વાસ લેવો, અંતે બંને હાથોને નીચે લાવવા. પગની સ્થિતિને બદલવી હવે એક વાર ફરી પર્વતાસનનો અભ્યાસ કરવો.પર્વતાસન કરતી વખતે કમરને હંમેશા ટટ્ટાર રાખવી.

પર્વતાસનના લાભપર્વતાસનના અભ્યાસથી પીઠનો દુખાવો ઓછો થાય છે. સાથે સાથે શરીરના અન્ય હાડકાના દુખાવામાં પણ ફાયદાકારક છે. જ્ઞાનતંતુઓમાં સ્ફુર્તિ પેદા કરે છે.શ્વાસ લેવામાં સરળતા રહે છે. ફેફસાની ક્ષમતા વધે છે.બંને હાથને ઉપરની તરફ ખેંચવામાં આવે ત્યારે પેટની માંસપેશીઓ વધુ મજબુત બને છે. ગર્ભવતી મહિલાઓ શરુઆતના 6 મહિના સુધી આ આસનનો અભ્યાસ કરી શકે છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger