મંગળવાર, 8 માર્ચ, 2011

ઝેરથી બચાવે છે શીતલી પ્રાણાયમ

ઝેરથી બચાવે છે શીતલી પ્રાણાયમ

પ્રાણાયમ એક એવી ક્રિયા છે જેના નિયમિત અભ્યાસથી અનેક મોટી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ સાથે જ વ્યક્તિના રંગ રુપ પણ નીખરી જાય છે. શીતલી પ્રાણાયમના સંબંધમાં એમ માનવામાં આવે છે કે તેના નિયમિત અભ્યાસથી વ્યક્તિને ક્યારેય ઝેરની અસર થતી નથી.

શીતલી પ્રાણાયમની વિધી

શીતલી પ્રાણાયમ અને સિત્કારી પ્રાણાયમ લગભગ એક જેવા જ છે. અંતર ફક્ટ એટલું છે કે સિત્કારી પ્રાણાયમમાં જીભ વાળીને તાળવા સાથે ચોંટાડવામાં આવે છે અને શીતલીમાં જીભને ગોળાકાર બનાવવામાં આવે છે તથા સીસકારો કરીને મોં દ્વારા વાયુને પેટમાં ભરવામાં આવે છે. દરેક પ્રાણાયમ ઉભા થઈને ચાલતા તથા બેસીને કરી શકાય છે. તેમાં મોંને ગોળ વાળીને જીભને પણ ગોળ કરવામાં આવે છે અને હોઠને બહાર નીકાળીને શ્વાસ લેવામાં આવે છે. જેટલું સંભવ થઈ શકે એટલો સમય શ્વાસ રોકીને શ્વાસને ધીરે ધીરે બહાર લેવામાં આવે છે.

શીતલી પ્રાણાયમના લાભ

આ પ્રાણાયમથી પિત્ત, કફ અને અપચા જેવી બિમારીઓ ખૂબ જલ્દી સમાપ્ત થઈ જાય છે. યોગશાસ્ત્ર અનુસાર લાંબા સમય સુધી આ પ્રાણાયમનો નિયમિત અભ્યાસ કરવાથી વ્યક્તિ પર ઝેરની પણ કોઈ અસર થતી નથી.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger